→ તે બહુવર્ષાયુ પ્રકારનું નીંદણ છે એટલે કે તેનું જીવનચક્ર બે વર્ષ કરતા વધારે વર્ષોનું હોય છે.
→ આ નીંદણનો ફેલાવો તેના મૂળની વૃધ્ધિ તેમજ બી દ્વારા થાય છે.
નિયંત્રણના ઉપાયો
યાંત્રિક પધ્ધતિ
→ ટ્રેકટર દ્વારા ઊંડી ખેડ કરી તેના મૂળીયા ભેગા કરી નાશ કરવો.
→ થોડા વિસ્તારમાં હોય તો કોદાળીથી ખોદીને નાશ કરવો.
→ તેના મૂળ જમીનમાં ખૂબ ઉડે સુધી પ્રસરેલા હોઈ રહી ગયેલા મૂળ ફરીવાર ફૂટી નીકળે છે તેથી આ પધ્ધતિ વારંવાર અપનાવવાથી વધુ ખર્ચાળ બને છે.
રાસાયણિક પધ્ધતિ
→ દાભના નિયંત્રણ માટે ગ્લાયફોસેટ ૪૧% SL કે જે બજારમાં રાઉન્ડ અપ, ગ્લાયસેલ, વિનાશ, નોવીડ, ગ્લાયટાફ કે વીડોફના નામે ઉપલબ્ધ છે, જેમાં સક્રિયતત્વ ગ્લાયફોસેટ હોય છે.
→ ગ્લાયફોસેટ ૪૧% SL સક્રિય તત્વ ધરાવતી બજારૂ નીંદણનાશકના ૧ ટકાનું દ્રાવણ (૧૦ લિટર પાણીમાં ૨૫૦ મિ.લિ. તથા ૧૫૦ થી ૨૦૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર) અથવા ગ્લાયફોસેટ ૭૧% SG (૧૦ લિટર પાણીમાં ૧૪૦ ગ્રામ) ફલડજેટ અથવા ફલેટફેન પ્રકારની નોઝલ દ્વારા કુમળા દાભ પર છંટકાવ કરવો.
નીચે દર્શાવેલ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાથી દાભનું ૧૦૦ ટકા નિયંત્રણ કરી શકાય છે.